શુક્રવાર, 23 મે, 2025

5. હિસાબી સમીકરણ || STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS || Std 11 Account Part 1 CH 1 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 || Std 11 Account Part 1 ch 5 હિસાબી સમીકરણ

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS



CH 5 હિસાબી સમીકરણ

A = C + L

A = Assets ( મિલકતો )
C = Capital ( મૂડી )
L = Liability ( જવાબદારી )

હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, ન. નું. ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે.

વર્ષના અંતે નફા - નુકશાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવાય છે.

મિલકતો = મૂડી + દેવું ( જવાબદારી )

પ્રત્યેક વ્યવહારની બે અસર આ મુજબ થાય છે.
(૧) A વધે તો C કે L પણ વધે, તેથી A = C + L જળવાઈ રહે.
(૨) A ઘટે તો C કે L પણ ઘટે, તેથી A = C + L જળવાઈ રહે.
(૩) A વધે - A ઘટે, એક જ બાજુ વિરુદ્ધ અસર, તેથી A = C + L જળવાઈ રહે.
(૪) C વધે - L વધે કે C ઘટે, તેથી A = C + L જળવાઈ રહે.

ખર્ચથી મૂડી ઘટે તથા ઉપજથી મૂડી વધે...

-: હિસાબી સમીકરણનાં ઉપયોગી તારણો :-

નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો...

1. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે...

જવાબ :- મૂડી વધે - મિલ્કત વધે

2. માલની ઉધાર ખરીદી થાય ત્યારે....

જવાબ :- મિલકત વધે - દેવું વધે

3. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે....

જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે

4. મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે...

જવાબ :- મિલકત વધે - મૂડી વધે 

5. નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે...

જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે

6. હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?

જવાબ :- C - L = A

7. કયા સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- કંપની

8. વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે ?

જવાબ :- પાકા સરવૈયામાં

9. A = C + L આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની કઈ પદ્ધતિ છે ?

જવાબ :- અમેરિકન

10. માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે...

જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે 

11. માલની રોકડ ખરીદી થાય ત્યારે....

જવાબ :- એક વધે - અન્ય ઘટે

12. નાણાં ઉછીના લીધા હોય ત્યારે...

જવાબ :- મિલકત વધે - દેવું વધે

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.

1. નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શો છે ?

જવાબ :- નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે.

2. કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે ?

જવાબ :- કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે.

3. વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે ?

જવાબ :- વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે.

4. પાકા સરવૈયાના બે અંગો જણાવો.

જવાબ :- પાકા સરવૈયાના બે અંગો આ મુજબ છે : (૧) મૂડી અને દેવા તથા (૨) મિલકતો

5. દ્વિનોંધી નામાપદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા કેવો હોય છે ?

જવાબ :- દ્વિનોંધી નામાપદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા સરખો હોય છે.

6. હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને કયા નામે ઓળખવામાં આવે છે ?

જવાબ :- હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાનાં અંગોને મૂડી - દેવા બાજુ અને મિલકત - લેણાં બાજુ તરીકે ઓળખવામાં આવે છે.

7. હિસાબી સમીકરણ સમજાવો.

જવાબ :- મિલકતો = મૂડી + દેવું
A = C + L

8. હિસાબી સમીકરણમાં શેની સીધી અસર પાકા સરવૈયામાં આવે છે ?

જવાબ :- હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર પાકા સરવૈયામાં આવે છે.

9. માલિક ધંધામાં મૂડી લાવે, તો હિસાબી સમીકરણ પર શું અસર થાય છે ?

જવાબ :- માલિક ધંધામાં મૂડી લાવે, તો ધંધાની મૂડી અને મિલકતો બંનેમાં સરખો વધારો થાય છે.

10. દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના અંગો જણાવો.

જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના ત્રણ અંગો છે. (૧) વેપાર ખાતું (૨) નફા નુકસાન ખાતું (૩) પાકું સરવૈયું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો