CH 5 હિસાબી સમીકરણ
A = C + L
A = Assets ( મિલકતો )
C = Capital ( મૂડી )
L = Liability ( જવાબદારી )
હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, ન. નું. ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે.
વર્ષના અંતે નફા - નુકશાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવાય છે.
મિલકતો = મૂડી + દેવું ( જવાબદારી )
પ્રત્યેક વ્યવહારની બે અસર આ મુજબ થાય છે.
(૧) A વધે તો C કે L પણ વધે, તેથી A = C + L જળવાઈ રહે.
(૨) A ઘટે તો C કે L પણ ઘટે, તેથી A = C + L જળવાઈ રહે.
(૩) A વધે - A ઘટે, એક જ બાજુ વિરુદ્ધ અસર, તેથી A = C + L જળવાઈ રહે.
(૪) C વધે - L વધે કે C ઘટે, તેથી A = C + L જળવાઈ રહે.
ખર્ચથી મૂડી ઘટે તથા ઉપજથી મૂડી વધે...
-: હિસાબી સમીકરણનાં ઉપયોગી તારણો :-
નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો...
1. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે...
જવાબ :- મૂડી વધે - મિલ્કત વધે
2. માલની ઉધાર ખરીદી થાય ત્યારે....
જવાબ :- મિલકત વધે - દેવું વધે
3. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે....
જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે
4. મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે...
જવાબ :- મિલકત વધે - મૂડી વધે
5. નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે...
જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે
6. હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
જવાબ :- C - L = A
7. કયા સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે ?
જવાબ :- કંપની
8. વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે ?
જવાબ :- પાકા સરવૈયામાં
9. A = C + L આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની કઈ પદ્ધતિ છે ?
જવાબ :- અમેરિકન
10. માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે...
જવાબ :- મિલકત ઘટે - મૂડી ઘટે
11. માલની રોકડ ખરીદી થાય ત્યારે....
જવાબ :- એક વધે - અન્ય ઘટે
12. નાણાં ઉછીના લીધા હોય ત્યારે...
જવાબ :- મિલકત વધે - દેવું વધે
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
1. નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શો છે ?
જવાબ :- નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે.
2. કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે ?
જવાબ :- કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકશાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે.
3. વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે ?
જવાબ :- વર્ષના અંતે નફા નુકશાન ખાતું બંધ કરીને પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે.
4. પાકા સરવૈયાના બે અંગો જણાવો.
જવાબ :- પાકા સરવૈયાના બે અંગો આ મુજબ છે : (૧) મૂડી અને દેવા તથા (૨) મિલકતો
5. દ્વિનોંધી નામાપદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા કેવો હોય છે ?
જવાબ :- દ્વિનોંધી નામાપદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા સરખો હોય છે.
6. હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ :- હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાનાં અંગોને મૂડી - દેવા બાજુ અને મિલકત - લેણાં બાજુ તરીકે ઓળખવામાં આવે છે.
7. હિસાબી સમીકરણ સમજાવો.
જવાબ :- મિલકતો = મૂડી + દેવું
A = C + L
8. હિસાબી સમીકરણમાં શેની સીધી અસર પાકા સરવૈયામાં આવે છે ?
જવાબ :- હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર પાકા સરવૈયામાં આવે છે.
9. માલિક ધંધામાં મૂડી લાવે, તો હિસાબી સમીકરણ પર શું અસર થાય છે ?
જવાબ :- માલિક ધંધામાં મૂડી લાવે, તો ધંધાની મૂડી અને મિલકતો બંનેમાં સરખો વધારો થાય છે.
10. દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના અંગો જણાવો.
જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના ત્રણ અંગો છે. (૧) વેપાર ખાતું (૨) નફા નુકસાન ખાતું (૩) પાકું સરવૈયું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો